નિત્ય-અનિત્ય વિવેક

नित्यानित्यवस्तुविवेकः कः?
नित्यवस्तु एकं ब्रह्म
तद् व्यक्तिरिक्तं सर्वम् अनित्यम्
अयमेव नित्यानित्यवस्तुविवेक्क़ ।
નિત્યાનિત્યવસ્તુવિવેકઃ કઃ?
નિત્યવસ્તુ એકં બ્રહ્મ
તદ્ વ્યક્તિરિક્તં સર્વમ્ અનિત્યમ્
અયમેવ નિત્યાનિત્યવસ્તુવિવેક્ક઼ ।
 
[ભાવાર્થ]
નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક શું છે?
એક બ્રહ્મ જ નિત્ય વસ્તુ છે. એથી અતિરિક્ત બધુ અનિત્ય છે. આ જ નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે.
 
[વ્યાખ્યા]
જે વસ્તુ થોડા કે અધિક કાળમાં નષ્ટ થઈ જાય છે, તેને અનિત્ય કહેવાય છે. આપણે આપણા અનુભવથી કેટલીક વસ્તુઓને નષ્ટ થતા જોઇએ છીએ, જેમ કે ખેતરમાં ધાનની ઊગતી, પાકતી, અને નષ્ટ થતી ફસલ. તે અનિત્ય છે. તેથી ઉપેક્ષા પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર, વગેરે નિત્ય પ્રતીત થાય છે. આને નષ્ટ થતા આપણે નથી જોયા. પરંતુ વિચાર કરવા પર જ્ઞાત થાય છે વસ્તુ કોઈ કાળમાં ઉત્પન્ન થાય છે અને જેનું કોઈ નામ-રૂપ-આકાર છે તે નશ્વર છે. આ દ્રષ્ટિથી વિચાર કરવા પર જ્ઞાત થાય છે કે સૂર્ય, ચન્દ્ર, વગેરે પણ અનિત્ય છે. નિત્ય વસ્તુ કેવળ બ્રહ્મા છે. તે અનાદિ, અનંત, નામ-રૂપ-આકાર રહિત અને કાળથી પણ પરે છે. આનું વિસ્તૃત વર્ણન આગળ કરવામાં આવશે. જ્યારે બુદ્ધિમાં આ નિશ્ચય થઈ જાય કે બ્રહ્મ જ નિત્ય છે, શેષ બધુ જ અનિત્ય છે તો તેને પૂર્ણ વિવેક કહી શકાય છે.
 
======== * ========