જે સત્ય છે, તેને સાહસપૂર્વક નિર્ભય થઇને લોકોને કહો, એનાથી કોઇને કષ્ટ થાય છે કે નહીં, તે બાજુ ધ્યાન નહીં આપો.

— સ્વામી વિવેકાનન્દ

સનાતન જાગૃતિમાં આપનું સ્વાગત છે.

श्रद्धां देवा यजमाना वायुगोपा उपासते ।
श्रद्धां ह्रदय्य याकूत्या श्रद्धया विन्दते वसु ॥ (ऋगवेद १०/१५१/४)

[ભાવાર્થ] - ઈશ્વર દ્વારા રક્ષિત, યજ્ઞ કરનાર દેવગણ શ્રદ્ધા પ્રતિ ખેંચાય આવે છે. મનુષ્ય હ્રદય આસ્થાથી શ્રદ્ધા પામે છે અને શ્રદ્ધાથી જ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.

     "સનાતન જાગૃતિ" નો ધ્યેય ભારતવર્ષમાં પરંપરાગત ચાલતી આવતી સનાતન ધર્મની જીવન શૈલી અને એના રીતી રીવાજોને જનસામાન્ય સુધી પહોંચાવી, સમાજમાં સનાતન ધર્મનો સાચો મર્મ દેખાડવાનો છે. તથા જનસામાન્યને વેદાન્તી જીવન દર્શનનું જ્ઞાન કરાવાનું છે, જેનું અનુકરણ કરીને સમાજનો કોઇ પણ વ્યક્તિ ક્રમશઃ વિકાસ કરતા આનંદના ઉચ્ચ સ્તરનું શ્રેષ્ઠત્તમ જીવન જીવી શકે. વધુ જાણો.