સુવિચારો

ક્ષમા વીરોનું આભૂષણ છે.
- ગાંધીજી
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
- પ્રેમચંદજી
યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
- ઋગવેદ
આળસ માનવીનો મહાન શત્રુ છે.
- ગૌતમ બુદ્ધ
જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
- ગૌતમ બુદ્ધ
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
- દયાનંદ સરસ્વતી
ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
- ભર્તુહરિ
પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
- મહાવીર સ્વામી
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
- ગુજરાતી કહેવત
સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
- ભર્તુહરિ
પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
- ભગવાન શંકરાચાર્ય
અભિમાન નરકનું દ્વાર છે.
- મહાભારત
કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
- પ્રેમચંદજી
જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
- પંચતંત્ર
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
- ભગવાન બુદ્ધ