આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલતાં રહે છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે કે "હું" અને "પરમાત્મા" ન બદલાવવા વાળા છે.
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી. આ ખાસ વાત છે. જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ.
ભારતની ભાતીગળ સંસ્કૃતિનો આધ્યાત્મિક વિકાસ અને વારસો એટલે વ્રત વૈભવ, તહેવારો અને ઉત્સવોનો ત્રિવેણિ સંગમ. ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રાણ સંસ્કૃતિ છે. પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્માની આરાધના અને ઉપાસના પ્રાચીન કાળથી અને વૈદિક ઋષિ પરંપરાથી ભારતમાં ઊતરી આવી છે.