બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો. એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા.
શ્રી લાલબહાદુર શાસ્ત્રી અલાહાબાદના સાર્વજનિક જીવનમાં પ્રમુખ પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેઓ નગરપાલિકા અને ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના સદસ્ય હતા. ટ્રસ્ટ તરફથી "ટાગોર ટાઉન" નામક શેરીનું નિર્માણ કરવા માટે કેટલાક પ્લૉટ લિલામ કરવામાં આવી રહ્યાં હતા.
મહર્ષિ દયાનંદ અનૂપ શહેર (ઉત્તરપ્રદેશનું એક શહેર) માં રોકાયા હતા. એ દિવસોમાં સૈયદ મોહમ્મદ નામક ત્યાં એક અમલદાર હતા અને તેઓ અરબી-ફારસીના સારા એવા વિદ્વાન હતા. તેઓ મહર્ષિની સેવામાં નિત્ય-પ્રતિ ઉપદેશ સાંભળવા આવતા હતા. સ્વામીજીના સત્સંગથી પ્રભાવિત થઈ, એમની ભક્તિમાં જ ભળી ગયા હતા.
લોકમાન્ય બાલ ગંગાધર તિલકને સ્વતંત્રતા આંદોલનમાં ગિરફ્તાર કરીને અંગ્રેજોએ મણ્ડાલે જેલમાં મોકલી આપ્યા. જેલમાં તેમને સમાચારપત્ર, પત્રિકા કે રાજનીતિથી સંબંધિત પુસ્તકો વાંચવાની અનુમતિ ન હતી. તેમ છતાં પણ જેલમાં તેમનું જીવન નિયમિત હતું. સવારે નિત્ય ક્રિયા કરીને તેઓ વાંચવા-લખવા બેસી જતા.
સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા.
ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે. ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો.