પ્રત્યેક સદ્ ગૃહસ્થના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે.
બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.
હ્રદયનો પુકાર, શ્રદ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે - "પ્રાર્થના". આ ભક્ત અને ભગવાનની મધ્યનો સેતુ છે. પ્રાર્થનાથી આત્મા પુષ્ટ થાય છે, જેમ શરીર ભોજનથી. પ્રાર્થના વ્યક્તિને બળ, આધ્યાત્મિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે.
આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે.
આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક (કમ્પ્યૂટર) સાથે કરી શકીએ છીએ. ૧૦૦ અબજ સૂચનાઓ આ સંગણકમાં એક સાથે ભેગી થઈ શકે છે. આવું સંગણક બનાવવાનો પ્રયાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો.