સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
હિતોપદેશ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • હું માનવ છું ને? - સ્વામી રામરાજ્યમ્
  • શ્રી ગણેશ આરતી
  • આરતી શ્રી હનુમાન લલા કી
  • અંતરમાં અભિમાન - ગંગાસતી
  • માંસાહાર - શ્રી કબીર વચનામૃત માંથી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

શ્રી શિવ ચાલીસા

  • ચાલીસા
  • સદાશિવ
  • 701 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
        जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान ।
        कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥
[ભાવાર્થ] - શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, "જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવાનું વરદાન આપો."
 
        जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥
[ભાવાર્થ] - જે દીન જનો પર કૃપા કરનાર છે અને સંત જનોની સદા રક્ષા કરે છે એવાં પાર્વતી (ગિરિજા) પતિ શંકર ભગવાનની જય હો.
 
        भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल नागफनी के ॥
[ભાવાર્થ] - જેમના મસ્તક પર ચંદ્રમા શોભાયમાન છે અને જેમણે કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કર્યા છે.   
 
        अंग गौर सिर गंग बहाये । मुण्डमाल तन क्षार लगाये ॥
[ભાવાર્થ] - જેમનું અંગ ગૌરવર્ણ છે, શીશ પર ગંગાની ધારા વહે છે, ગળામાં મુણ્ડોની માળા છે અને શરીર પર ભસ્મ છે.
 
        वस्त्र खाल वाधम्बर सोहै । छवि को देखि नाग मुनि मोहै ॥
[ભાવાર્થ] - જેમણે વાઘની ખાલના વસ્ત્ર ધારણ કર્યા છે, એવાં શિવજી ની શોભા જોઈને નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે.
 
        मैना मातु कि हवै दुलारी । वाम अंग सोहत छवि न्यारी ॥
[ભાવાર્થ] - મહારાણી મૈનાની દુલારી પુત્રી પાર્વતી એમના ડાબી બાજુએ સુશોભિત થઈ રહ્યા છે.
 
        कर त्रिशूल सोहत छवि भारी । करत सदा शत्रुन क्षयकारी ॥
[ભાવાર્થ] - જમના હાથોમાં ત્રિશૂલ અત્યંત સુંદર પ્રતીત થઈ રહ્યું છે, કે જે નિરંતર શત્રુઓનો વિનાશ કરતું રહ્યું છે.
 
        नंदि गणेश सोहैं तहँ कैसे । सागर मध्य कमल हैं जैसे ॥
[ભાવાર્થ] - ભગવાન શંકરજીના સમીપ નંદી અને ગણેશજી એવાં સુંદર લાગે છે, જેમ સાગરની મધ્યમાં કમળ શોભાયમાન હોય છે.
 
        कार्तिक श्याम और गणराऊ । या छवि को कहि जात न काऊ ॥
[ભાવાર્થ] - શ્યામ, કાર્તિકેય અને એમના કરોડો ગણની છબી ના વખાણ કરવું કોઈ માટે સંભવ નથી.
 
        देवन जबहीं जाय पुकारा । तबहीं दुःख प्रभु आप निवारा ॥
[ભાવાર્થ] - હે પ્રભુ ! જ્યારે-જ્યારે દેવતાઓએ આપની સન્મુખ પુકાર કરી છે ત્યારે-ત્યારે આપે એમના દુઃખોનું નિવારણ કર્યું છે.
 
        कियो उपद्रव तारक भारी । देवन सब मिलि तुमहिं जुहारी ॥
[ભાવાર્થ] - જ્યારે તારકાસુરે ખૂબ અધિક ઉત્પાત કર્યો હતો ત્યારે બધા દેવતાઓએ મળીને પોતાની રક્ષા કરવા માટે આપની શરણ લીધી.
 
        तुरत षडानन आप पठायउ । लव निमेष महँ मारि गिरायउ ॥
[ભાવાર્થ] - ત્યારે આપે તુરંત ષડાનન (સ્વામી કાર્તિકેય) ને મોકલ્યા જેમણે ક્ષણમાત્રમાં જ તારકાસુર રાક્ષસમે મારી નાખ્યો.
 
        आप जलंधर असुर संहारा । सुयश तुम्हार विदित संसारा ॥
[ભાવાર્થ] - આપે સ્વયં જલન્ધર નામક અસુરનો સંહાર કર્યો, જેનાથી આપના યશ તથા બળને સંપૂર્ણ સંસાર જાણે છે.
 
        त्रिपुरासुर सन युद्ध मचाई । सबहिं कृपा करि लीन बचाई ॥  
[ભાવાર્થ] - ત્રિપુર નામક અસુર સાથે યુદ્ધ કરી આપે કૃપા કરી બધા દેવતાઓને બચાવી લીધા.
 
        किया तपहिं भागीरथ भारी । पुरव प्रतिज्ञा तासु पुरारी ॥
[ભાવાર્થ] - જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા મહાન તપ કર્યું ત્યારે આપે આપની જટાઓમાંથી ગંગાને છોડી એમની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી.
 
        दानिन महँ तुम सम कोइ नाहीं । सेवक स्तुति करत सदाहीं ॥
[ભાવાર્થ] - સંસારના બધા દાનિઓમાં આપની સમાન કોઈ દાનિ નથી. ભક્ત આપની સદા વંદના કરતા રહે છે.
 
        वेद माहि महिमा तब गाई । अकथ अनादि भेद नहीं पाई ॥
[ભાવાર્થ] - આપ અનાદિ (પ્રાચીન) હોવાનો ભેદ કોઈ પણ બતાવી નથી શક્યું. વેદોમાં પણ આપની મહિમા ગાવામાં આવી છે.
 
        प्रकटी उदधि मथन ते ज्वाला । जरत सुरासुर भए विहाला ॥
[ભાવાર્થ] - દેવાસુર સંગ્રામ બાદ જ્યારે સમુદ્ર મંથન કરવાથી વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવતા અને રાક્ષસ બધા એના પ્રભાવથી બેહાલ થઈ ગયા.
 
        कीन्ह दया तहँ करी सहाई । नीलकंठ तव नाम कहाई ॥
[ભાવાર્થ] - ત્યારે આપે દયા કરી એમની સહાયતા કરી અને જ્વાલા પાન કર્યું. ત્યારથી જ આપનું નામ નીલકંઠ કહેવાયું.
 
        पूजन रामचन्द्र जब कीन्हा । जीत के लंक विभीषण दीन्हा ॥
[ભાવાર્થ] - શ્રી રામચંદ્રજીએ લંકા પર ચડાઈ કરવા પહેલા આપનું પૂજન કર્યું અને આપની કૃપાથી લંકા જીતી વિભીષણને દાનમાં આપી દીધી.
 
        सहस कमल में हो रहे धारी । कीन्ह परीक्षा तबहीं पुरारी ॥
[ભાવાર્થ] - ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે કમળ દ્વારા પૂજન કર્યું તો આપે ફૂલોમાં વિરાજમાન રહી પરીક્ષા લીધી.
 
        एक कमल प्रभु राखेउ गोई । कमल नैन पूजन चहँ सोई ॥
[ભાવાર્થ] - જ્યારે આપે એક કમળનું ફૂલ આપની માયાથી લુપ્ત કરી દીધું તો શ્રી રામચંદ્રજીને કમલના ફૂલના સ્થાને એમના નયનરૂપી પુષ્પથી આપનું પૂજન કરવા ચાહ્યું.
 
        कठिन भक्ति देखी प्रभु शंकर । भये प्रसन्न दिये इच्छित वर ॥
[ભાવાર્થ] - જ્યારે આપે રાઘવેન્દ્રની આ પ્રકારની કઠોર ભક્તિ જોઈ તો પ્રસન્ન થઈ એમને મનોવાંછિત વરદાન પ્રદાન કર્યું.
 
        जय जय जय अनंत अविनाशी । करत कृपा सबके घटवासी ॥
[ભાવાર્થ] - જે અનંત અને અવિનાશી છે, એવાં ભગવાન શંકરજીની જય હો, જય હો, જય હો. બધાના હ્રદયમાં નિવાસ કરનાર આપ બધા પર કૃપા કરતાં રહો.
 
        दुष्ट सकल नित मोहि सतावैं । भ्रमत रहौं मोहि चैन न आवै ॥
[ભાવાર્થ] - હે શંકરજી ! અને દુષ્ટ મને પ્રતિદિન સતાવે છે. આ કારણે હું ભ્રમિત થઈ જાઉં છું અને મને ચેન (માનસિક શાંતિ) નથી મળતું.
 
        त्राहि त्राहि मैं नाथ पुकारौं । यहि अवसर मोहि आन उबारो ॥
[ભાવાર્થ] - હે નાથ ! આ સાંસારિક બાધાઓથી દુઃખી થઈ હું આપની શરણે આવ્યો છું. આપ આ દુઃખના સમયે આવી મારો ઉદ્ધાર કરો.
 
        ले त्रिशूल शत्रुन को मारो । संकट ते मोहि आन उबारो ॥
[ભાવાર્થ] - આપ આપના ત્રિશૂલથી મારા શત્રુઓને નષ્ટ કરી મને આ સંકટથી બચાવી આ ભવસાગરમાંથી પાર કરો.
 
        मात-पिता भ्राता सब होई । संकट में पूछत नहीं कोई ॥
[ભાવાર્થ] - માતા-પિતા અને ભાઈ આદિ સંબંધી બધા છે પરંતુ તેઓ સુખમાં સાથ હોય છે, સંકટ આવવા પર કોઈ પૂછતું પણ નથી.
 
        स्वामी एक है आस तुम्हारी । आय हरहु मम संकट भारी ॥
[ભાવાર્થ] - હે જગતના સ્વામી ! આપ જ છો જેના પર મને આશા લાગી છે ! આપ શીઘ્ર આવી મારા આ ઘોર સંકટને દૂર કરો.
 
        धन निर्धन को देत सदाहीं । जो कोई जाँचे सो फल पाहीं ॥
[ભાવાર્થ] - આપ હંમેશા જ નિર્ધનોની સહાયતા કરો છો. જેમણે પણ આપને જેવા જાણ્યાં છે એમણે એવા જ ફળ પ્રાપ્ત કર્યા છે.
 
        अस्तुति केहि विधि करौं तुम्हारी । क्षमहु नाथ अब चूक हमारी ॥
[ભાવાર્થ] - મને તો એ પણ ખબર નથી કે આપની પ્રાર્થના-સ્તુતિ કઈ રીતે કરવામાં આવે છે. તેથી હે નાથ ! મારી આ ભૂલને ક્ષમા કરો.
 
        शंकर को संकट के नाशन । विघ्न विनाशन मंगल कारन ॥
[ભાવાર્થ] - હે શંકર ભગવાન ! આપ જ સંકટનો નાશ કરનાર છે. સમસ્ત શુભ કાર્યોને કરનાર અને વિઘ્નોને નષ્ટ કરવામાં સમર્થ છે.
 
        योगी यति मुनि ध्यान लगावें । नारद सारद शीश नवावें ॥
[ભાવાર્થ] - યોગીરાજ, યતિ અને મુનિરાજ હંમેશા આપનું ધ્યાન કરે છે. નારદજી અને સરસ્વતીજી આપને જ મસ્તક નમાવે છે.
 
        नमो नमो जय नमः शिवाय । सुर ब्रह्मादिक पार न पाय ॥
[ભાવાર્થ] - "ૐ નમઃ શિવાય" પંચાક્ષર મંત્રનો નિરંતર જાપ કરીને પણ બ્રહ્મા આદિ દેવતાઓને આપનો પાર નહીં પામ્યો.
 
        जो यह पाठ करे मन लाई । ता पर होत हैं शम्भु सहाई ॥
[ભાવાર્થ] - જે પ્રાણી આ શિવ ચાલીસાનું મન લગાવી અને નિષ્ઠા પૂર્વક પાઠ કરે છે, ભગવાન શંકર એની સહાયતા કરે છે અને એની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
 
        ऋनियाँ जो कोइ को अधिकारी । पाठ करे सो पावनहारी ॥
[ભાવાર્થ] - જો ઋણી આ ચાલીસાનો પાઠ કરે તો તે ઋણ મુક્ત થઈ જાય છે.
 
        पुत्र होन कर इच्छा कोई । निश्चय शिव प्रसाद तेहि होई ॥
[ભાવાર્થ] - પુત્રહીન વ્યક્તિ જો પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી પાઠ કરે છે તો નિશ્ચિત જ શિવજીની કૃપાથી એને પુત્ર પ્રાપ્ત થાય છે.
 
        पण्डित त्रयोदशी को लावै । ध्यान पूर्वक होम करावै ॥
[ભાવાર્થ] - પ્રત્યેક માસની ત્રયોદશી (તેરસ) ના દિવસે ઘરે પંડિત બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજન અને હવન કરવું જોઈએ.
 
        त्रयोदशी व्रत करै हमेशा । तन नहिं ताके रहै कलेशा ॥
[ભાવાર્થ] - ત્રયોદશીનું વ્રત કરનાર વ્યક્તિના શરીર અને મનમાં કોઈ ક્લેશ (દુઃખ) નથી રહેતું.
 
        धूप दीप नैवेद्य चढ़ावै । शंकर सम्मुख पाठ सुनावै ॥
[ભાવાર્થ] - ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરી શંકરજીની પ્રતિમા કે ચિત્ર સામે બેસી આ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
 
        जन्म-जन्म के पाप नसावै । अंत धाम शुवपुर में पावै ॥
[ભાવાર્થ] - આ પ્રકારે પાઠ કરનારના જન્મ-જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે શિવધામમાં જઈ વસે છે અર્થાત્ તે મોક્ષ પ્રાપ્ત કરે છે.
 
        कहत अयोध्या आस तुम्हारी । जानि सकल दुःख हरहु हमारी ॥
[ભાવાર્થ] - અયોધ્યાદાસજી કહે છે કે હે શંકરજી ! અમને આપની આશા છે. મારા સમસ્ત દુઃખોને દૂર કરી આપ અમારી મનોકામના પૂર્ણ કરો.
 
        नित नेम कर प्रातः ही पाठ करो चालीसा ।
        तुम मेरी मनोकामना, पूर्ण करो जगदीश ॥
[ભાવાર્થ] - પ્રાતઃકાળ નિત્યકર્મ પશ્ચાત આ શિવ ચાલીસાનો ચાલીસ વાર પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન મનોકામના પૂર્ણ કરે છે.
 
        मंगसर छठि हेमंत ऋतु, संवत चौदस जान ।
        स्तुति चालीसा शिवहिं, पूर्ण कीन कल्याण ॥
[ભાવાર્થ] - હેમંત ઋતુ, માગશર માસની છઠ્ઠી તિથિ સંવત ૬૪ માં આ ચાલીસા રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ હેતુ પૂર્ણ થઈ.

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.