શ્રી શિવ પઞ્ચાક્ષર માલા
ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવનને નમસ્કાર.
શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.
જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.
કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.
નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.
