વૈરાગ્ય

विरागः कः?
इहस्वर्ग भोगेषु इच्छाराहित्यम् ।
વિરાગઃ કઃ?
ઇહસ્વર્ગ ભોગેષુ ઇચ્છારાહિત્યમ્ ।
 
[ભાવાર્થ]
વિરાગ (વૈરાગ્ય) શું છે?
આ લોક અને સ્વર્ગ લોકના સમસ્ત ભોગોને ભોગવાની ઇચ્છા ન રહેવી એ વિરાગ (વૈરાગ્ય) છે.
 
[વ્યાખ્યા]
નિત્યાનિત્ય (નિત્ય-અનિત્ય) વસ્તુનું વિવેક થવા પર આપણે સ્વતઃ નિત્ય વસ્તુ પ્રતિ પ્રેમ અને અનિત્ય વસ્તુ પ્રતિ હેય અથવા ત્યાગ બુદ્ધિ ઉત્પન્ન થવાનો અનુભવ કરીએ છીએ. બહ્મની અતિરિક્ત આ લોકની બધી વસ્તુઓ અનિત્ય છે અને એવી જ રીતે સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોની વસ્તુઓથી મળતું સુખ પણ અનિત્ય છે અને એની સાથે દુઃખ પણ મળે છે. તેથી તેનાથી સુખની આશા ત્યાગી દેવું એ જ વૈરાગ્ય છે. રાગ (મોહ) બંધનકારક છે અને વૈરાગ્ય મુક્તિ આપનાર છે. વિરક્ત થવા પર (નિત્ય-અનિત્ય વસ્તુ જ્ઞાત થવા પર) જ આપણે નિત્ય વસ્તુ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકાય છે.
 
======== * ========