સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
વેદવ્યાસ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • બ્રહ્મ શું છે? - સ્વામી શિવાનન્દ
  • નમસ્તે
  • પ્રભુની પ્રાપ્તિ સાધનાથી નહીં, કેવળ માન્યતાથી
  • શ્રી ગણેશ ચાલીસા - સુંદરદાસ
  • गीता पढो - आलस्य त्यज कर आत्म उन्नति

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં

  • ઐતિહાસિક ઘટનાઓ
  • ચરિત્ર કથા
  • સ્વામી વિવેકાનંદ
  • 838 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ-વિદેશમાં વિખ્યાત થયા.
 
સ્વામીજી ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા નહીં માગતા હતા. તેઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ કાંઈ પણ થાય પણ પાછળ ફરીને નહીં જોઇ. (એટલે કે નિશ્ચયમાં અડગ રહે), અને કોઈની સામે ભોજન માટે હાથ નહીં લંબાવે. જ્યારે કોઈ સ્વયં બોલાવીને ભોજન આપશે તો જ ભોજન ગ્રહણ કરીશ. આ કઠિન વ્રતનું પરિણામ એવું પણ આવ્યું કે કેટલીક વાર તો કેટલાય દિવસો સુધી ભોજન વિના જ વિતાવવા પડતા.
 
એક દિવસ સાંજે સ્વામીજી એક ઘોડાના તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. સ્વામીજી એ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહીં હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાયેલી હતી. ત્યાં ઊભેલા વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું - "સાધુ બાબા ! આજે ભોજન નહીં મળ્યું શું?" સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો - "હા ભાઇ, પાછલા બે દિવસોથી મેં કઈ નથી ખાધુ."
 
ત્યારે તે વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાના માટે બનાવેલી સૂકી રોટલીઓ શ્રદ્ધાથી પરોસી. સાથે મરચાંની ચટણી પણ આપી. બે દિવસ ભૂખ્યાં રહેવા બાદ સૂકી રોટલીઓ પણ ઘણી સ્વાદિષ્ટ લાગી. તે વ્યક્તિએ સૂકા ભોજન અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી ભેટ કર્યું. સ્વામીજી તૃપ્ત થઈ ગયા. આજ પ્રકારે સ્વામીજી મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસૂર વગેરે પ્રદેશોની યાત્રા કરતા-કરતા મદ્રાસ પહોંચ્યા.
 
આ દિવસોમાં અમેરિકાના શિકાગો નગરમાં "વિશ્વ ધર્મ સંમેલન" ની ઘોષણા થઈ. જે સંમેલન ઈસાઈ પાદરિઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. સ્વામીજી ત્યાં હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે તેમના શિષ્યોના આગ્રહથી જવાનું સ્વીકાર કર્યું. ૩૧ મે, ૧૮૯૩ ના દિને તેઓ અમેરિકા જવા રવાના થયા.
 
શિકાગો જઈને સ્વાજીએ અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી સ્વામીજી જરાયે વિચલિત થયા નહીં. તેમને ત્યાં કોઈનો પરિચય નહીં હતો. તો પણ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સંમેલન પ્રારંભ થવામાં હજી બે-ત્રણ મહિનાની વાર હતી. ત્રીજી કઠિનતા એ હતી કે સંસ્થાના પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. સ્વામીજી તો ત્યાં કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નહીં ગયા હતા. વળી સ્વામીજી પોતાના ખર્ચ માટે જે રાશી લઇ ગયા હતા, તે પણ સમાપ્ત થવા આવી હતી. ખર્ચને ઓછામાં ઓછો કરવા માટે સ્વામીજીએ શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો.
 
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરી લે છે, ત્યારે પ્રભુ તરફથી સહાયતાના સાધન પણ આપોઆપ મળી જાય છે. વળી સ્વામીજી તો કટ્ટર પ્રભુ ભક્ત અને હઠ નિશ્ચયી હતા. એમના ભવ્ય સ્વરૂપ અને પ્રશાંત વ્યવહારને જોઇને એક સજ્જન પ્રભાવિત થયો અને તે સ્વામીજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેણે સ્વામીજી સાથે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક પ્રાધ્યાપકની ભેટ કરાવી. (જે પ્રાધ્યાપક સંમેલનના પ્રમુખ અધિકારી હતા.) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે.
 
હવે પ્રશ્ન અર્થ કષ્ટનો હતો. શિકાગો નગરના એક હોટલમાં તેઓ થોડા સમય માટે રોકાવા ગયા. પરંતુ ત્યાં તેમને જગા નહીં મળી અને હોટલના માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઠી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી.
 
બીજા દિવસે સવારે રસ્તાના કિનારે ભૂખ્યા-પ્યાસા સ્વામીજી બેઠા હતા. વ્યાકુળ હતા, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને હિંમત નહીં હારી. ફરી પ્રભુએ કૃપા કરી. સામેના મકાનમાંથી એક મહિલાએ તેમને જોયા. તેણી સ્વામીજીની શાંત મુદ્રા અને ભવ્ય આકૃતિથી પ્રભાવિત થઈ. તેણીએ સ્વામીજીને બોલાવ્યા અને આખું વૃતાંત સાંભળ્યું. આવા શ્રેષ્ઠ કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી એ મહિલાએ સ્વામીજીના નિવાસ આદિનો પ્રબંધ કરી આપ્યો.
 
સંમેલન પ્રારંભ થયું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ "મારા ભાઇઓ તથા બહેનો" એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. "Ladies and Gentlemen" સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો.
 
સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.
 
સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।"
 
આ લક્ષ્યની પૂર્તિ માટે સ્વામીજી એ "રામકૃષ્ણ મિશન" ની સ્થાપના કરી.

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.