સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
વિનોબા ભાવે
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • પહેલા મનને નિર્મળ કરો
  • રમા એકાદશી - આસો વદ ૧૧
  • સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ - લોકમાન્ય તિલક
  • રાસ દર્શન - ભક્ત નરસિંહ મહેતા
  • શ્રી શિવ બાવની

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

કેવળ ભગવાનનું જ ચિંતન

  • આધ્યાત્મીક
  • સ્વામી ચિદાનન્દ
  • 502 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
આપણા બધા માટે મનન કરવા લાયક (આવશ્યક) તત્ત્વ આ છે કે સમય ઉડતો જઈ રહ્યો છે. દિવસ અઠવાડિયામાં બદલાઈ રહ્યા છે, અઠવાડિયા મહિનામાં, મહિના વર્ષોમાં. એક-એક દિવસ કરીને આપણી જીવન અવધિ ઘટતી જઈ રહી છે; વિભિન્ન વિકર્ષણ આપણા મનને લક્ષ્યથી દૂર લઈ જાય છે. આપણે કઈ રીતે આ અપેક્ષા રાખીએ કે આપણું જીવન ઈશ્વર સાક્ષાત્કારથી અભિષિક્ત (અધિકારવાળું) થાય? પ્રબોધનથી, મોક્ષથી, આનંદથી, શાંતિથી અને પરિપૂર્ણતાથી અલંકૃત થાય? કઈ રીતે આ આશા રાખી શકીએ???
 
આ કેવળ ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ નિરંતર ભગવાનનું, અને કેવળ ભગવાનનું જ ચિંતન કરે, જ્યારે વ્યક્તિ ભગવાન સિવાય અન્ય બધા વિચારોને છોડી કેવળ ભગવાનનું જ ચિંતન કરે. એવા વ્યક્તિ માટે આપણે લગભગ કહી શકીએ છીએ કે જો ભગવાનનો અનુગ્રહ પણ છે તો, ઈશ્વરાનુભૂતિની પ્રાપ્તિ આ જન્મમાં, પણ અત્યારે જ અને અહીં જ નિશ્ચિત છે.
 
કારણ કે, જે વ્યક્તિ તેનું મન, પોતાની અંતર દૃષ્ટિ નિરંતર અબાધ રૂપથી ભગવાન અને કેવળ ભગવાન પર દૃઢતાપૂર્વક સ્થિર રાખે છે, જે અન્ય કોઈ પણ વિચારને પ્રવેશ ન થવા દે, જે પૂર્ણત ઈશ્વરમાં સ્થિત છે, શત-પ્રતિ-શત, કોઈ પણ અન્ય વિચારને હસ્તક્ષેપ ન કરવા દે, ત્યારે એવાં વ્યક્તિનું અંતઃકરણ સ્વયં ભગવાન રૂપ બની જાય છે. કારણ કે એવાં વ્યક્તિમાં ભગવાન નિવાસ કરે છે, તેઓ એના અંતર્મનને, એની ચેતનાને પૂર્ણતાથી ભરી દે છે. ત્યારે તે વ્યક્તિ ઈશ્વરીય ચેતનાની સ્થિતિમાં પહોંચી જાય છે અને તે માનવીય ચેતનામાં નથી રહેતો.
 
એવી સ્થિતિ માટે આપણે પ્રાર્થના કરવી જોઇએ. આના માટે આપણે અથાક પ્રયત્ન કરવો જોઇએ. વિનમ્રતા સહિત, વગર અહંકારથી, આ જાણવું જોઇએ કે આ પ્રયત્ન પણ એમના દ્વારા પ્રેરિત છે, એમની જ કૃપાની શક્તિથી થઈ રહ્યું છે, અહીં મારું કઈ પણ નથી, કેવળ એક ભગવાન જ સર્વસ્વ છે. અને આપણે એ સર્વશક્તિમાનથી, એ સર્વાતીત સત્તાને પ્રાર્થના કરીએ છીએ, આપણે પરમ ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આશીર્વાદ અને વરદાન કૃપાપૂર્વક આપણને બધાને પ્રદાન કરે! એવું જ બને!
 
- સ્વામી શ્રી ચિદાનન્દજી મહારાજ
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.