પ્રભુની પ્રાપ્તિ સાધનાથી નહીં, કેવળ માન્યતાથી

આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ બદલતાં રહે છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે કે "હું" અને "પરમાત્મા" ન બદલાવવા વાળા છે. "હું" ની પરમાત્મા સાથે એકતા થઈ અને "આ શરીર" ની સંસાર સાથે એકતા થઈ. આ શરીરમાં જે ગાઢ પણું જે દેખાય છે, તે પૃથ્વીનો અંશ છે. આમાં જે ગરમી છે તે સૂર્ય તથા અગ્નિનો અંશ છે. આમાં જે વાયુ છે તે વાયુનો ભાગ છે અને આમાં જે પોલાણ છે તે આકાશનો અંશ છે.
 
"હું છું" એ આત્મ-જ્ઞાન છે અને "પરમાત્મા છે" એ પરમાત્મ-જ્ઞાન છે. "હું" અને "પરમાત્મા" ની એકતા છે અને "શરીર" અને "આપણી કહેવામાં આવતી વસ્તુઓ તથા સંસાર" ની એકતા છે. તેથી આ આપણી કહેવામાં આવતી વસ્તુઓ દ્વારા સંસારની સેવા કરવી અને ખુદને પરમાત્માને સમર્પિત કરવું. બસ એ જ વાત (સાર) છે.
 
હવે પ્રશ્ન ઊઠે છે કે જો વાર આટલી સુગમ છે તો પછી આ વાત રોકાતી (હંમેશા સ્મરણમાં) કેમ નથી? આનો ઉત્તર છે કે આ વાતને આપણે એટલું મહત્વ નથી આપતા, એનું આદર નથી કરતાં. આ વાત કઇ અભ્યાસજન્ય નથી. આ વાતને ક્યાં તો માની લો અથવા તો જાણી લો. જેમ કે આપણે માની લઇએ કે આ નેપાળ છે. આપ આ માનવામાં સ્વતંત્ર છે. માનવા ચાહો તો માની શકો છે અને ન માનવું હોય તો જન્માંતર સુધી ન માની શકશો. બસ આ જ રીતે માની લો કે "પરમાત્મા" છે. ક્યાં તો જાણી લો કે મારું (અવિનાશી આત્માનું) નાશવાન સંસાર સાથે કોઈ સંબંધ નથી તો પણ પૂરતું છે. "હું" નથી બદલાતો, પરંતુ "આ શરીર અને સંસાર" સતત બદલાતા રહે છે, આ બિલકુલ જાણેલ વાત છે. આને જાણવા અને માનવા કોઈ અભ્યાસની આવશ્યકતા નથી. આ સાચી અને શાસ્ત્રની કહેલી વાત છે. જો આપણે આ વાતનનો આદરપૂર્વક સ્વીકાર કરીએ તો કરોડો રૂપિયા પ્રાપ્ત થવા પર પણ એટલી શાંતિ ન મળે જેટલી આ વાત માનવાથી મળે છે.
 
એક વાત બીજી છે કે આપણે એ વાતને કોઈ મહત્વ નથી આપતા જે આપણને મફતમાં મળેલ છે. જો એક-એક વાત ઉપર સો-સો રૂપિયાનો ટેક્સ લગાવી દેવામાં આવે, તો કદાચ આપણે એ વાતનું આદર કરીશું. અને ખૂબ ભટકવા પછી, બદ્રીનારાયણ જેવાં પહાડો પર ફરવા બાદ આ વાત પ્રાપ્ત થાય તો તેને મહત્વ આપીએ અને માની લઇએ. જ્યારે હમણાં ઘર બેઠા આ વાત વગર કિંમતે મળી રહી છે તેથી તેને આપણે મહત્વ નથી આપતા. જે કોઈ વ્યક્તિએ આ વાતને મહત્વ આપ્યું છે, આની કિંમત ચૂકવી છે, તે વ્યક્તિને જરૂર લાભ થયો છે. જે કોઈ વ્યક્તિએ આ વાત બદલ અપમાન સહ્યું છે, નિંદા સહિ છે, કષ્ટ સહ્યું છે, વિપરીત પરિસ્થિતિ સહન કરી છે, તેને અવશ્ય લાભ થયો છે; કારણ કે એણે મૂલ્ય ચુકવ્યું છે. જો જોરદાર લગન અને તડપ થઈ જાય તો તત્ત્વજ્ઞાન તરત જ થઈ જાય છે. તેથી આપણે આ વાતને મહત્વ આપીએ કે હવે તો વાત (સાર રહસ્ય) આપણને મળી ગયું છે, હવે એ કદી વિસ્મરણ નહીં થાય.
 
ઉદયપુરના રાણાના વિષે સાંભળ્યું જ હશે કે તે તેઓ સત્સંગની વાત સાંભળતા અને એમાં જે વાત સારી લાગતી તે વાત સાંભળીને તરત જ સત્સંગમાંથી ઊઠી જતાં જેથી વાત વિસ્મરણ ન થઈ જાય. તેથી આજની આ વાત દૃઢતાથી પકડી લો કે આપ સ્વયં નિત્ય રહેવાવાળા છો જ્યારે શરીર અને સંસાર બદલાવવાવાળા અનિત્ય છે. આપણી એ જ ભૂલ છે કે આપણે બદલાવવાવાળા અનિત્ય તત્ત્વો સાથે મળી જઇએ છીએ. જો આપણે આ અનિત્ય શરીર-સંસાર સાથે ન મળીએ તો સમતામાં સ્વતઃ સ્થિતિ છે. આપણે આનાથી ભિન્ન છીએ. આના કારણે જ આપણે અનુકૂળતા-પ્રતિકૂળતાનો અનુભવ કરીએ છીએ. બન્ને પરિસ્થિતિઓમાં અનુભવ એ જ કરી શકે છે જે બન્ને સમય રહે છે. આપણે બન્ને પરિસ્થિતિના પ્રભાવને સ્વીકાર કરીએ છીએ તેથી જ સુખી-દુઃખી રહીએ છીએ. જો પરિસ્થિતિના પ્રભાવનો સ્વીકાર ન કરીએ, એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવ રહીએ, તો ન સુખ થશે, ન દુઃખ. સમતામાં સ્વતઃ સ્થિતિ આવી જશે.
 
તમે સાંભળ્યું હશે કે નારદજીએ વ્યાસજીને એમના પૂર્વ જન્મની વાત કહી. નારદજી માતાની સાથે સંતોની પાસે જતા હતા તો ભગવાનમાં ભક્તિ થઈ ગઈ. પછી એમની માતા મૃત્યુ પામી. બહુધા માતાના મૃત્યુ પર બાળકને ઘણું દુઃખ થાય છે, કારણ કે માતા બાળકનો આધાર હોય છે. પરંતુ નારદજી ખુશ થયા. તેથી સુખી-દુઃખી થવું એ તો આપણા હાથની વાત છે. આ ઉપર ભગવાન કહે છે -
न त्वं शोचितुमर्हसि ॥ (ગીતા ૨/૨૭)
"તું શોક કરવા યોગ્ય નથી." અને અંતમાં કહે છે કે मा शुचः "શોક નહીં કર." શોક કરવું, ન કરવું આપણા હાથની વાત છે. શોક-ચિંતા કરવી, સુખી-દુઃખી થવું એ કઈ પ્રારબ્ધનું ફળ નથી. અનુકૂળતા-પ્રતિકૂળતા આવવી-જવી પ્રારબ્ધ (કર્મો) નું ફળ છે. પરંતુ એમાં સુખી-દુઃખી થવું એ આપણી ઉપર છે, આ સુખ-દુઃખ આવવા જવા વાળા છે. તેથી આમાં શું સુખી થવું અને શું દુઃખી થવું? ઘણી આશ્ચર્યની વાત છે. જેમ કે જો આપણે હમણાં દરવાજે ઊભા રહીએ અને રસ્તા પર ગાડી ખૂબ અવર-જવર કરે તો આપણે રાજી થઇશું કે આજે તો ઘણી ગાડી તો આવી અને ગઈ. પરંતુ બીજા દિવસે માનો કે ગાડી પસાર ન થશે તો આપણે વિચારીશું કે આજે ગાડી કેમ પસાર નહીં થઈ. અરે ! સમસ્યા શું છે? ગાડી નહીં આવી તો ધૂળ નહીં ઊડી. એવી જ રીતે અનુકૂળ-પ્રતિકૂળ આવે છે અને જાય છે, ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ આવી તો કયારેય નહીં. આ ધન-સંપત્તિ અને પરિવાર વગેરે બધું આવે-જાય છે જ્યારે આપ (નિત્ય આત્મા) એમ ને એમ રહે છે. તો પછી આમાં રાજી અને નારાજી શું? "समदुःखसुखः स्वस्थः"સુખ-દુઃખમાં સમભાવથી રહેવાથી આપણા "સ્વ" માં સ્થિતિ થાય છે અર્થાત્ પરમ આનંદ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે. ભગવાન પણ 'પ્રેમાળ' કહેશે. પરંતુ જો આપણે સુખ-દુઃખમાં સુખી-દુઃખી થતા રહીશું તો આપણે તો દુઃખ મેળવીશું જ, લોકો પણ નિંદા કરશે અને ભગવાન પણ રાજી નહીં થાય. તો બતાવો ફાયદો શું થયો?
 
ધનવાન થઈ જવું, સ્વસ્થ થઈ જવું, માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી - આ બધું આપણા હાથની વાત નથી. તો પછી આમાં સુખી-દુઃખી શું કામ થવું? હવે આ વાતને આદર આપો, મહત્વ આપો, નિર્ણય કરો કે સુખી-દુઃખી નહીં થાઓ. આ વાતને શીખવાની નથી. આનો કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી. આને તો ફક્ત માનવાની છે. પછી વારંવાર પાદ કરવાની આવશ્યકતા નહીં રહે. જેમ ખુદને બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય માની લીધા, હવે કામ-ધંધો કરતા, ખાતા-પીતાં આ યાદ નથી રાખવું પડતું. આપોઆપ યાદ રહે છે. જો યાદ ન રહે તો પણ કોઈ ભૂલ નથી થતી.
 
આ જ પ્રકારે "હું" પરમાત્મા છું - એમ માની લો પછી કામ આદિ કરતી સમયે તમે ભૂલી જાઓ, પરંતુ એ ભૂલ નહીં માનવામાં આવશે. ભૂલ ક્યારે માનવામાં આવશે? ભૂલ એ સમયે માનવામાં આવશે, જ્યારે આપ એવું માનશો કે હું પરમાત્મા નથી. જો તમે આમ નહીં માનો તો પણ અખંડ માન્યતા તો ભીતર રહેશે જ. જેમ આપણા નામ, જાતિ, સ્થાન, દેશની સાથે અખંડ માન્યતા થઈ જાય છે, તે જ પ્રકારે પરમાત્મા સાથે અખંડ માન્યતા થઈ જશે. આ નામ, જાતિ, સ્થાન, દેશ, શરીર આદિ તો આપણા નથી, આ બધા તો કેવળ આપણી માન્યતાઓ છે. પરંતુ "પરમાત્મા આપણા છે" એવું સ્વયં ભગવાન, સદગ્રંથ તથા સંતો કહે છે. તેથી આજે હમણાં આ વાત માની લો કે હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે.
 
નારાયણ... નારાયણ... નારાયણ...
 
- સ્વામી રામસુખદાસજી
("જીવનનું સત્ય" પુસ્તક માંથી)
 
======== * ========