ભક્ત નરસિંહ મહેતા

ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે... અખિલ બ્રહ્માંડમાં...